સાવરકુંડલા શહેરનો હાથસણી રોડ, જ્યાં ૨૦ હજારથી વધુ વસ્તી અને માનવમંદિર-શિવદરબાર જેવા મહત્વના સ્થળો આવેલાં છે, તેની સ્થિતિ વર્ષોથી બદલાઈ નથી. રહેવાસીઓ ફૂટપાથ,
વૃક્ષારોપણ, સિનિયર સિટીઝન પાર્ક, બાળકો માટે ક્રિડાંગણ અને સ્પીડબ્રેકરની માંગ કરી રહ્યા છે. નગરપાલિકા અને જિલ્લા પંચાયત સમક્ષ લેખિત રજૂઆતો થઈ હોવા છતાં, ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. સતત ટ્રાફિક અને પગપાળા ચાલતા લોકોને પડતી મુશ્કેલીઓ ધ્યાને લઈ, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા આ મામલે હસ્તક્ષેપ કરે તેવી લોકમાંગ ઉઠી છે.