ગારીયાધારામાં રહેતા દયાબેન રણજીતગીરી ગૌસ્વામી (ઉ.વ.૪૦)એ સાવરકુંડલામાં રહેતા નેહાબેન દિલીપનાથ નાથજી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમના પિતાના ઘરે અગિયારસ કરવા આવ્યા હતા. તેમના પતિએ ગારિયાધાર વહેલા આવવાનું કહેતા બોલાચાલી ઝઘડો કર્યો હતો. તેમણે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈને જેમ ફાવે તેમ આખા પરિવારને ગાળો આપી બાજુમાં પડેલી કરતાલ લઈ તેના બે ઘા મારતાં સારવારમાં દાખલ કર્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એેએસઆઈ કેતનભાઈ દેવજીભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.