સાવરકુંડલામાં એક પતિ તેની પત્ની પર પાંચ વર્ષથી શંકા કુશંકા કરીને ત્રાસ આપતો હતો. આખરે ત્રાહિમામ પોકાર્યા બાદ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિશાખાબેન કિરણભાઇ બગડા (ઉ.વ.૩૩)એ પતિ કિરણભાઇ દેવશીભાઇ બગડા (ઉ.વ. ૩૩) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પતિ તેના ઉપર છેલ્લા પાંચેક વર્ષથી શંકા કુશંકાઓ કરીને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હતા. ઉપરાંત કોઇપણ કારણ વગર અવારનવાર અશ્લિલ ગાળો આપતા હતા. બે દિવસ પહેલા પ્લાસ્ટિકના પાઇપ વડે શરીરે આડેધડ મુંઢમાર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જીતેન્દ્રભાઇ જીવરાજભાઇ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.