સાવરકુંડલા શહેરની નાવલી નદીના કાંઠે આવેલ સંત આપાલાખાની જગ્યા ખાતે પરંપરાગત રીતે બટુકભોજન અને સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોને ઉત્સાહભેર બટુકભોજન કરાવવામાં આવ્યું, જે સંત આપાલાખાના સમયથી ચાલી આવતી પરંપરાનો એક ભાગ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દર મહિનાની સાતમે આ જગ્યામાં બટુકભોજનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી હતી.