અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકોના આત્માની શાંતિ માટે સાવરકુંડલામાં ગતરોજ સાંજે છ વાગે હોમગાર્ડ કચેરીથી રિદ્ધિ સિદ્ધિ સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરેલ. જેમાં હોમગાર્ડઝ કમાન્ડર, ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહેલ. ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સહિત દરેક દિવંગત મૃતાત્માને મહાદેવ શાંતિ આપે તેવી પ્રાર્થના પણ કરવામાં આવેલ હતી.