સાવરકુંડલાના સદગુરુ સેવા ટ્રસ્ટ સંચાલિત મમતા ઘર દ્વારા તેના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભવ્ય વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી મમતા ઘર સાવરકુંડલામાં મા-બાપ વિહોણા જરૂરિયાતમંદ બાળકો માટે આશાનું કિરણ બન્યું છે. અહીં પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકોને ભણે ત્યાં સુધી વિનામૂલ્યે આશ્રય, ભોજન અને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત, મમતા ઘર દ્વારા વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે, જેના પરિણામે અનેક બાળકોએ શૈક્ષણિક ક્ષેત્રે
ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ વાર્ષિક મહોત્સવની ઉજવણીમાં પરમ પૂજ્ય ઉષા મૈયા, પૂજ્ય ભક્તિ બાપુ, પૂજ્ય નારાયણ સાહેબ, કરસનગિરી બાપુ, ઘનશ્યામદાસ બાપુ સહિત અમરેલી ગદ્ય સાહિત્ય ગ્રુપ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.