સાવરકુંડલાના આંબરડી ગામે વાડીએ રહેતા એક યુવકે જમીને તેનો ફોન સુવાના પલંગ નીચે મુક્યો હતો. જેની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે વિજયભાઈ રાઘવભાઈ માલાણીની વાડીએ રહેતા ચંદ્રેશભાઈ છગનભાઈ શિંગાડ (ઉ.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, તેમણે જમીને ફોન પોતાના સુવાના પલંગ નીચે મૂક્યો હતો. બીજા દિવસે સવારે જાગીને જોતાં ફોન મળી આવ્યો નહોતો. આ ફોનની અજાણ્યો ચોર ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલામાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં અતુલભાઈ અનંતરાય મહેતા (ઉ.વ.૪૯)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમની ન્યુ મહેતા ટ્રાન્સપોર્ટ નામની ઓફિસે જતા હતા ત્યારે શર્ટના ખિસ્સામાં રહેલો મોબાઇલ ફોન પડી જતાં અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો.