અમરેલીના લાપાળીયા ગામે રહેતા નટુભાઈ ભવાનભાઈ વાઘેલાએ જાહેર કર્યા મુજબ, ભોગ બનનારને તેના સસરા ઘરકામના કામકાજ બાબતે ખીજાયા હતા. જેથી તેને લાગી આવતાં સાવરકુંડલાના મહુવા રોડ પર મામલતદાર ઓફિસ સામે એસિડ પીધું હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. આર. ગળચર વધુ તપાસ કરી રહ્યા છે.