લાઠીના સરકારી પીપળવા ગામે એક ખેડૂતની વાડીના ફરજામાંથી અજાણ્યો ઇસમ સનેડાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ગોરધનભાઈ વશરામભાઈ લીંબાસીયા (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, અજાણ્યો ચોર ઇસમ તેમની વાડીમાં ગેરકાયદે પ્રવેશ કરી વાડીના ખુલ્લા ફરજામાં મુકેલો સનેડો લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસ ચોપડે સનેડાની કિં.રૂ.૫૧૦૦૦ જાહેર થઈ હતી. લાઠી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.વી. શિયાળ આ બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.