બાંગ્લાદેશ ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલે ૨૦૨૪ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના, પૂર્વ ગૃહ પ્રધાન અસદુઝ્ઝમાન ખાન કમાલ અને પૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ-મામુનને દોષિત ઠેરવ્યા છે. ટ્રિબ્યુનલે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા ફટકારી હતી. કોર્ટે હસીનાને ત્રણ આરોપોમાં દોષિત ઠેરવ્યા હતા. મહિનાઓ સુધી ચાલેલા ટ્રાયલ પછી છે, વિદ્યાર્થી આંદોલન દરમિયાન ઘાતક કાર્યવાહીનો આદેશ આપવા બદલ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મુર્તઝા મજુમદારે ત્રણ સભ્યોના ટ્રિબ્યુનલની અધ્યક્ષતા કરી હતી. જેમાં આ સજા સંભળાવવામાં આવી.શેખ હસીના પહેલા જો કોઈને નામ યાદ હશે તો તે સદ્દામ હુસૈનનું છે. પૂર્વ ઇરાકી રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનને ૨૦૦૬માં માનવતા વિરુદ્ધના ગુનાઓ, રાજકીય દમન અને નરસંહારના આરોપસર ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. તેમના શાસન દરમિયાન, શિયા અને કુર્દિશ વસ્તી સામે વ્યાપક અત્યાચારો નોંધાયા હતા. યુએસ આક્રમણ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને લાંબી કાનૂની પ્રક્રિયા પછી તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, જે આધુનિક ઇતિહાસમાં સૌથી ચર્ચિત ફાંસીની સજામાંની એક બની હતી.આ યાદીમાં બીજા ક્રમે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો છે. તેમને ૪ એપ્રિલ, ૧૯૭૯ના રોજ રાવલપિંડીમાં ફાંસી આપવામાં આવી હતી. એવું કહેવાય છે કે ભુટ્ટોને ન્યાયી ટ્રાયલ આપવામાં આવી નહોતી. આ નિર્ણય જનરલ ઝિયા-ઉલ-હકના લશ્કરી બળવા પછી આવ્યો હતો, જ્યારે ભુટ્ટો પર રાજકીય હરીફની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ટ્રાયલ વિવાદાસ્પદ હતી અને તેને રાજકીય બદલો લેવાનું કાર્ય માનવામાં આવતું હતું.આ યાદીમાં આગળનું નામ એક સનકી સરમુખત્યારનું છે. તેણે ૨૫ વર્ષ સુધી રોમાનિયા પર શાસન કર્યું. દેશવ્યાપી બળવા વચ્ચે ૨૧ ડિસેમ્બર, ૧૯૮૯ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. લશ્કરી અદાલતમાં થોડા કલાકો સુધી ચાલેલા ટ્રાયલ પછી તેને અને તેની પત્નીને નરસંહાર, ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ચુકાદા પછી તરત જ બંનેને ફાયરિંગ સ્ક્વોડ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આને યુરોપમાં સરમુખત્યારશાહીના અંતનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ ૨૫ વર્ષો દરમિયાન તેમણે રોમાનિયાના લોકો માટે જીવન નર્ક બનાવી દીધું હતું.આ યાદીમાં બાંગ્લાદેશી નેતા મતીઉર રહેમાન નિઝામીનું નામ પણ સામેલ છે. તેમને ૧૯૭૧ના સ્વતંત્રતા યુદ્ધ દરમિયાન યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશની એક ખાસ અદાલતે તેમને નરસંહાર, હત્યા અને ત્રાસ માટે ફાંસીની સજા ફટકારી હતી. તે કટ્ટરવાદી જૂથ જમાત-એ-ઇસ્લામીનો વડો પણ હતો.










































