સોમવારે, ભારતીય શેરબજાર મોટા વધારા સાથે ટ્રેડિંગ બંધ થયું. સપ્તાહના પહેલા દિવસે,બીએસઇ સેન્સેક્સ ૬૭૭.૫૫ પોઈન્ટ (૦.૮૪%) ના વધારા સાથે ૮૧,૭૯૬.૧૫ પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે, આજે એનએસઇ નિફ્ટી ૫૦ પણ ૨૨૭.૯૦ પોઈન્ટ (૦.૯૨%) ના વધારા સાથે ૨૪,૯૪૬.૫૦ પોઈન્ટ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે આજે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ અને વૈશ્ચિક સંકેતો વચ્ચે બજારે લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું.
સોમવારે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૭ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાન પર બંધ થયા હતા, જ્યારે ૩ કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયા હતા. તેવી જ રીતે, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૪૫ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાન પર બંધ થયા હતા અને બાકીની ૫ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાન પર બંધ થયા હતા. સેન્સેક્સ કંપનીઓમાં, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર આજે સૌથી વધુ ૨.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે ટાટા મોટર્સના શેર આજે સૌથી વધુ ૩.૫૬ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
ટેક મહિન્દ્રા,ટીસીએસ સહિત આ તમામ શેરમાં વધારો નોંધાયો. આજે સેન્સેક્સની અન્ય કંપનીઓમાં, ટેક મહિન્દ્રાના શેર ૨.૧૨%, એચસીએલ ટેક ૧.૬૬%,ટીસીએસ ૧.૪૦%, એશિયન પેઇન્ટ ૧.૨૮%, નેસ્લે ઇન્ડિયા હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં ઘટાડો થયો. ૦.૪૪%, ઇન્ડસઇન્ડ બેંક ૦.૩૬%, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૨૭% અને એસબીઆઇ ૦.૦૬ ટકાના વધારા સાથે બંધ થયા. બીજી તરફ, અદાણી પોર્ટ્‌સના શેર ૦.૩૫ ટકાના ઘટાડા સાથે અને સન ફાર્માના શેર ૦.૧૯ ટકાના ઘટાડા સાથે બંધ થયા.