આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને વેરાવળ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલ જાળવવા અને અસામાજિક તત્વોને કડક સંદેશ આપવા વેરાવળ સિટી પોલીસ ઈન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામીના નેતૃત્વમાં ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના કાફલાએ શહેરની મુખ્ય બજારો અને રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ માર્ચ દ્વારા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. ખાસ કરીને સંવેદનશીલ અને ભીડભાડવાળા વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર પોલીસ તંત્ર સજ્જ છે, જેનાથી શહેરમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે.