વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ જણાવ્યું હતું કે પીએમ મોદી કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. ચેનાબ પુલને સ્થાપત્યની અજાડ કૃતિ ગણાવતા, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે નદીથી ૩૫૯ મીટરની ઊંચાઈ પર છે. પુલની એક મહત્વપૂર્ણ અસર જમ્મુ અને શ્રીનગર વચ્ચે જાડાણ વધારવામાં થશે. પુલ પર ચાલતી વંદે ભારત ટ્રેન દ્વારા કટરા અને શ્રીનગર વચ્ચે મુસાફરી કરવામાં ફક્ત ૩ કલાક લાગશે, જેનાથી વર્તમાન મુસાફરીનો સમય બે થી ત્રણ કલાક ઓછો થશે.
વડાપ્રધાન જે અન્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે તેમાં ૨૭૨ કિમી લાંબો ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (યુએસબીઆરએલ) પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તે લગભગ રૂ. ૪૩,૭૮૦ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તેમાં ૩૬ ટનલ (૧૧૯ કિમી સુધી ફેલાયેલી) અને ૯૪૩ પુલ છે. આ પ્રોજેક્ટ કાશ્મીર ખીણ અને દેશના બાકીના ભાગો વચ્ચે સીમલેસ ઓલ-વેધર રેલ કનેકટીવિટી સ્થાપિત કરે છે, જેનો ઉદ્દેશ્ય પ્રાદેશિક ગતિશીલતાના લેન્ડસ્કેપને બદલવા અને સામાજિક-આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપવાનો છે.
પીએમ સરહદી વિસ્તારો માટે રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે પીએમ મોદી ખાસ કરીને સરહદી વિસ્તારોમાં છેલ્લા માઇલ કનેકટીવિટીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે.
તેઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૭૦૧ પર રફિયાબાદથી કુપવાડા સુધીના રોડ પહોળા કરવાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને એનએચ -૪૪૪ પર રૂ. ૧,૯૫૨ કરોડથી વધુના ખર્ચે શોપિયન બાયપાસ રોડનું નિર્માણ કરશે. તેઓ શ્રીનગરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧ પર સંગ્રામ જંકશન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૪ પર બેમિના જંકશન પર બે ફ્લાયઓવર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સ ટ્રાફિક ભીડ ઘટાડશે અને મુસાફરો માટે ટ્રાફિક પ્રવાહ વધારશે.
માતા વૈષ્ણો દેવી ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ એક્સેલન્સનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કટરામાં ૩૫૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે શ્રી માતા વૈષ્ણો દેવી ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ એક્સેલન્સનો શિલાન્યાસ કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ રિયાસી જિલ્લામાં પ્રથમ મેડિકલ કોલેજ હશે જે આ પ્રદેશમાં આરોગ્યસંભાળ માળખામાં નોંધપાત્ર યોગદાન આપશે.