ગઈકાલે સમગ્ર દેશને હચમચાવી મૂકનાર અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે પરિવારજનોના ડીએનએ સેમ્પલ અમદાવાદ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યા છે. ગઈકાલની ઘટનામાં મૂળ અમરેલી જિલ્લાના છ લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમની ઓળખ માટે તેમના પરિવારજનોના ડીએનએ સેમ્પલ પણ લેવાયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા કાંતાબેન પાઘડાળ અને નાવ્યાબેન પાઘડાળ માટે તેમના પરિવારજન ચિરાગભાઈ ધીરુભાઈ પાઘડાળનું ડીએનએ સેમ્પલ લેવાયું હતું. તેવી જ રીતે રિદ્ધીબેન પડસાલાની ઓળખ માટે તેમના નાના ભાઈ માધવભાઈ જીતેન્દ્રભાઈ પડસાલાનું સેમ્પલ લેવાયું હતું. અમરેલીના જ વતની અને અમદાવાદમાં સ્થાયી થયેલા બાબુભાઈ હિરપરા અને વિમળાબેનની ઓળખ માટે તેમના પુત્ર કિરણભાઈ બાબુભાઈ હિરપરાનું સેમ્પલ અને અર્જુનભાઈ પટોળીયાની ઓળખ માટે તેમના માતૃશ્રી કંચનબેન પટોળીયાનું સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યું હતું.