મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે સરકાર ઈરાનમાં ફસાયેલા કાશ્મીરી વિદ્યાર્થીઓના સુરક્ષિત વાપસી માટે જમીની સ્તરે ઝુંબેશ ચલાવશે. સરકાર વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આગામી પગલાં લેવાની તૈયારી કરી રહી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે વિદ્યાર્થીઓની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. મુખ્યમંત્રીએ રવિવારે કહ્યું કે તેઓ આ વિદ્યાર્થીઓ માટે વાલીની જેમ ચિંતિત છે.
તેમણે વિદ્યાર્થીઓના પરિવારોને ધીરજ રાખવા અને સરકારના આગામી પગલાની રાહ જાવાની અપીલ કરી. તેમણે બીજી વખત આ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અગાઉ પણ તેમણે ઈરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ કેન્દ્ર સરકારના સંપર્કમાં છે અને તેહરાન, શિરાઝ અને કોમ સહિત અન્ય અસરગ્રસ્ત શહેરોમાં વિદ્યાર્થીઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના લગભગ ૧૩૦૦ વિદ્યાર્થીઓ ઈરાનમાં મેડિકલ સહિત વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમણે તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની ખાતરી આપી. નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીર વિદ્યાર્થી સંઘે મુખ્યમંત્રીને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા માટે કેન્દ્ર સરકાર અને ઈરાની વહીવટીતંત્રનો સંપર્ક કરવા અપીલ કરી હતી, ત્યારબાદ આ નિવેદન સામે આવ્યું છે.