ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ૨૯/ ૫થી થી ૧૨/ ૬/ ૨૫ દરમિયાન પ્રી ખરીફ કેમ્પેઇન અંતર્ગત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન માટેના કૃષિ રથની અમરેલી તાલુકાના શેડુભાર, લાલાવદર, જેસીંગપરા અને રાજુલા તાલુકામાં પૂર્ણાહુતિ થઇ હતી. આ વિકસિત કૃષિ સંકલ્પ યાત્રામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલીનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. મીનાક્ષીબેન બારીયાના માર્ગદર્શન હેઠળ કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. વી. એસ. પરમાર, ડો. નિલેષ કાછડિયા, ડો. નેહા તિવારી, ખેતી અધિકારી સૂજીત બારિયા અને કવિતા ગઢીયા દ્વારા ૧૫ દિવસમાં ૯૦ ગામમાં રથ ફર્યો હતો. ખેડૂતોને આધુનિક ખેતીમાં ડ્રોનનું મહત્વ, સાંકડે ગાળે કપાસનું વાવેતર, પ્રાકૃતિક ખેતી, કૃષિ યુનિવર્સિટીની નવી જાતો (જીજેજી-૩૨, જીજી-૩૫, જીજી-૪૧) નો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. ૧૫૦૦૦થી વધુ ખેડૂત ભાઈઓ અને બહેનોએ આ રથનો લાભ લીધો હતો.