લીલીયા મોટા પી.એમ. કન્યાશાળા ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન રમીલાબેન ભીખાભાઈ ધોરાજીયાના અધ્યક્ષસ્થાને ધોરણ સાતની વિદ્યાર્થીનીઓને સતત ત્રીજા વર્ષે ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. પી.એમ. શાળાઓની વિદ્યાર્થીનીઓને એ.આઈ.એફ. દ્વારા આશરે રૂપિયા ૧૫ લાખના ખર્ચે ૬૦ ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એ.આઈ.એફ. શાળાના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર હાર્દિકભાઈ સોનછાત્રા, પ્રોજેક્ટ ડાયરેક્ટર શંકર શર્મા, ડે.ડી.પી.ઈ.ઓ. જી.એમ. સોલંકી, બી.આર.સી. કો-ઓર્ડિનેટર અભિષેકભાઈ ઠાકર, આચાર્ય અલકાબેન દવે, કાનજીભાઈ નાકરાણી, ભનુભાઈ ડાભી, ઘનશ્યામભાઈ મેઘાણી, હિતેશ પરમાર અને ડાયાભાઈ માલવિયા સહિતના શિક્ષકગણ, વાલીગણ તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશાબેન જોશી તેમજ રાજુભાઈ પાનસુરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.