લીલીયા મોટા ખાતે ૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા આયુષ્યમાન વય વંદના કેમ્પ યોજાયો હતો, જેમાં ૭૦ વર્ષથી ઉપરના વડીલોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ત્યારબાદ ધારાસભ્ય કસવાલાએ લીલીયામાં ચાલી રહેલ ગટર રિનોવેશન કામ અને પંપિંગ સ્ટેશન નંબર ૪ની મુલાકાત લઈને નવી મોટરોનું નિરીક્ષણ કર્યું તેમજ પુંજાપદર માર્ગ માટે નવો ઓવરબ્રિજ બનાવવાના સ્થળની સમીક્ષા કરી હતી. ખારી નદી પર રિવરફ્રન્ટ બનાવવવા અંગે સ્થળની પણ મુલાકાત લીધી હતી અને નાવલી નદીના કારણે થતાં પાણી ભરાવ અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી. આ તકે T.D.O. માળવીયા, ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, ગૌતમભાઈ વિછીયા, કેતનભાઇ ઢાકેચા, ભીખાભાઈ ધોરાજીયા, કાનજીભાઈ નાકરાણી, જીવનભાઈ વોરા, ભનુભાઈ ડાભી, કાંતિભાઈ શિંગાળા, હિંમતભાઈ માસ્તર, ભાસ્કરભાઈ પટેલ, કેપ્ટન ધામત, યોગેશભાઈ દવે સહિત સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.