મહારાષ્ટ્ર સરકારની લાડકી બેહન યોજના હવે વિવાદોથી ઘેરાયેલી છે. વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ થયેલી આ યોજનામાંથી અત્યાર સુધીમાં ૩ થી ૪ હપ્તા મળી ચૂક્યા છે, પરંતુ હવે ટેકનિકલ અથવા પાત્રતાના કારણોસર લગભગ ૯ લાખ મહિલાઓને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવી છે. જ્યારે ૪૧ લાખથી વધુ મહિલાઓ કતારમાં છે. દરમિયાન, વિપક્ષે સરકાર પર કૌભાંડ અને ઉતાવળનો આરોપ લગાવ્યો છે.

મહારાષ્ટ્રની લડકી બેહન યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ ૨.૩૭ કરોડ મહિલાઓને લાભ મળી રહ્યો છે, જે ડિસેમ્બર ૨૦૨૪ માં ૨.૪૬ કરોડ હતો, પરંતુ તપાસ અને પાત્રતાના આધારે, લગભગ ૯ લાખ મહિલાઓના નામ દૂર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ, સરકારે ૨૧ થી ૬૦ વર્ષની વયની આર્થિક રીતે નબળી મહિલાઓને દર મહિને ?૧૫૦૦ આપવાની જોગવાઈ કરી છે. પરંતુ, અન્ય યોજનાઓનો લાભ લેતી કેટલીક મહિલાઓને હવે ફક્ત ?૫૦૦ આપવામાં આવી રહ્યા છે.

કપાતના કારણોમાં વય મર્યાદા, અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓ અને કૌટુંબિક આવક મર્યાદા (?૨.૫ લાખ પ્રતિ વર્ષ) શામેલ છે. આ ઉપરાંત, સંજય ગાંધી નિરાધાર યોજના હેઠળ લાભ મેળવનાર લગભગ ૨ લાખ મહિલાઓને પણ આ યોજનામાંથી બાકાત રાખવામાં આવી છે. સરકારે આ યોજના માટે કુલ ?૪૬,૦૦૦ કરોડનું બજેટ ફાળવ્યું છે પરંતુ ભંડોળના અભાવે તેમાં થોડો કાપ મૂકવામાં આવ્યો છે. આ કારણે લગભગ ૮ લાખ મહિલાઓને ઓછી રકમ પણ આપવામાં આવી રહી છે.

આ યોજના ઓક્ટોબર-૨૦૨૪ રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં લગભગ ૨.૪૫ કરોડ મહિલાઓએ નોંધણી કરાવી છે. તેમાંથી લગભગ ૧.૦૫ કરોડ મહિલાઓને ઓછામાં ઓછો એક હપ્તો મળ્યો છે. પરંતુ હવે લગભગ ૯ લાખ મહિલાઓના નામ યોજનામાંથી દૂર કરવામાં આવ્યા છે જ્યારે ૪૧ લાખ મહિલાઓના નામ ચકાસણી યાદીમાં છે.

સરકારી સેવામાં કામ કરતી લગભગ ૨૬૦૦ મહિલાઓનો પણ આમાં સમાવેશ થાય છે. હાલમાં આ સંખ્યા વધીને ૫૦ હજાર થઈ શકે છે. સરકારનું કહેવું છે કે સરકારી વિભાગોમાં કામ કરતી મહિલાઓએ લાડકી બહેન યોજના હેઠળ મળેલા હપ્તા તાત્કાલિક પરત કરવા જાઈએ નહીંતર તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે કારણ કે આ યોજનામાં નિયમ છે કે સરકારી કર્મચારીને આ યોજનામાં લાભ મળી શકતો નથી.

કેબિનેટ મંત્રી ગિરીશ મહાજને એમ પણ કહ્યું હતું કે સરકારી નોકરી કરતી વખતે આ યોજનાનો લાભ લેનાર લાડકી બહેનો ખોટી છે. એક સાથે બે યોજનાઓનો લાભ ન લેવો જોઈએ. નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે, યોજના લાગુ કરવામાં ઉતાવળ કરવામાં આવી હતી, નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું ન હતું, હવે પાત્રતાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના પર રાજકારણ હવે તેજ થઈ ગયું છે. વિપક્ષે અજિત પવાર અને સરકાર પર સીધા ગંભીર આરોપો લગાવ્યા છે.

સંજય રાઉતે કહ્યું કે તે એક ચૂંટણી સ્ટંટ હતો. નકલી નામો સાથે નોંધણી કરીને કૌભાંડ કરવામાં આવ્યું હતું. અજિત પવારે રાજીનામું આપવું જાઈએ. કોંગ્રેસ તરફથી પણ આ અંગે તીવ્ર પ્રહાર કરવામાં આવ્યો છે. વર્ષા ગાયકવાડે કહ્યું કે, જે મહિલાઓ માટે આ યોજના બનાવવામાં આવી હતી તેમને પૈસા નથી મળી રહ્યા. આ સરકારનું બેવડું ધોરણ છે. ધારાસભ્ય અસલમ શેખે કહ્યું કે, આ યોજના ફક્ત ચૂંટણી જીતવા માટે લાવવામાં આવી હતી. ચૂંટણી જીત્યા પછી, મહિલાઓને બાજુ પર રાખવામાં આવી રહી છે.

આ સમગ્ર વિવાદ વચ્ચે, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અદિતિ તટકરેએ યોજનાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, આ યોજના મહિલાઓના હિતમાં છે, તેને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. પાત્ર મહિલાઓને મે અને જૂનના હપ્તા ટૂંક સમયમાં મળશે. તે જ સમયે, એનસીપી શરદ પવારના પક્ષના નેતા અનિલ દેશમુખે પણ કહ્યું કે સરકાર આજે જે કામ કરી રહી છે તે પહેલા થવું જોઈતું હતું. આનાથી રિકવરી ન થઈ હોત. જીતેન્દ્ર આહવદે એમ પણ કહ્યું કે સરકાર છોકરીઓ અને બહેનોની લાગણીઓ સાથે રમી રહી છે.