લાઠીના નારાયણનગર ગામે એક પુરુષ તેની પત્ની સાથે અગાશીમાં સુતો હતો. આ સમયે શેરીમાં કેટલાક લોકો ગાળો બોલતા હતા. જેથી તેણે ગાળો બોલવાની ના પાડતાં તેમને ઢીકાપાટુ માર્યા હતા. બનાવ અંગે બીપીનભાઇ નાનજીભાઇ મકવાણા (ઉ.વ-૨૫)એ પ્રવિણભાઇ મકવાણા, મુન્નાભાઇ મકવાણા, અજીતભાઇ ઉર્ફે લાલભાઇ મકવાણા, રીતીક શરદભાઇ મકવાણા, મિહિરભાઇ પ્રવિણભાઇ મકવાણા તથા છ લોકો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેની પત્ની સાથે ઘરે અગાશી ઉપર સુતા હતા તે દરમ્યાન આરોપી ઘરની બહાર શેરીમાં ગાળો બોલતા હતા. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતા આ લોકો ફરિયાદીને ગાળો આપવા લાગ્યા હતા. જેથી નજીકમાં આવેલ કાર્યાલયમાં હાજર સાહેદો સમજાવવા જતા આ લોકોએ તેની સાથે પણ ઝગડો કરી ફોન કરી અન્ય આરોપીઓને બોલાવ્યા હતા. આરોપીઓએ તેમને પકડી ઢીકાપાટુથી મુંઢમાર મારી, ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.આર. કસાડા વધુ તપાસ કરી રહ્યા છે.