પોતાના સપનાની ઉડાન ભરવા નીકળ્યા હતા પણ એ ઉડાન છેલ્લી ઉડાન બનશે એવું કોને ખબર હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આખો પરિવાર સાફ થઈ ગયો, લંડનમાં નવી જિંદગી શરૂ કરવાનો હતો રાજસ્થાનના બાંસવાડાનો પરિવાર. નોકરીમાંથી રાજીનામું આપી આખો પરિવાર લંડન સેટલ્ટ થવા જઈ રહ્યો હતો. પરંતુ પરિવારના ૧૩ લોકો મોતને ભેટ્યા.
બાંસવાડાના એક ડાક્ટર દંપતી, ડા. કોમી વ્યાસ અને ડા. પ્રતીક જોશી, તેમના ત્રણ બાળકો પ્રદ્યુત, મીરાયા અને નકુલ સાથે પણ વિમાનમાં બેઠા હતા. ડા. કોમીએ એક મહિના પહેલા ઉદયપુરની પેસિફિક હોસ્પિટલમાં નોકરી છોડી દીધી હતી. કોમી તેના પતિ સાથે રહેવા લંડન જઈ રહી હતી.
ડા. પ્રતીક લંડનની એક ખાનગી હોસ્પિટલમાં જોડાવાના હતા અને ડા. કોમીને પણ ત્યાં નવી નોકરી જોડાવાની હતી. તેથી, તેમણે ત્રણેય બાળકોને લંડન શિફ્ટ થવા માટે મનાવી લીધા. પરિવારે બાળકોના શિક્ષણ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લીધો હતો, પરંતુ પાંચેયનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું.
પ્રતીક જોશી લગભગ ૬ વર્ષ પહેલાં લંડન શિફ્ટ થઈ ગયા હતા. હવે તેઓ પત્ની અને ત્રણ બાળકો સાથે સ્થાયી રૂપે ત્યાં વસવા જઈ રહ્યા હતા. પ્રતીક જોશીની પત્નીનું નામ ડા. કોમી વ્યાસ છે. તેઓ પણ ડાક્ટર હતા અને બે દિવસ પહેલાં જ લંડનમાં નવેસરથી શરૂઆત કરવા માટે તેણે નોકરી છોડી દીધી હતી. પરિવારને ત્રણ બાળકો છે, જેમાં બે જોડિયા દીકરીઓ હતી, જે બંને પાંચ વર્ષની હતી.
આખો પરિવાર લંડનમાં સ્થાયી થવાના ઇરાદાથી આ ફ્લાઇટમાં બેઠો હતો. કારણ કે, લાંબા સમયથી તેઓ લંડન જવાની યોજના બનાવી રહ્યો હતો. પરંતુ કોને ખબર કે તેમના ભાગ્યમાં કંઈક બીજું જ હતું.
બાંસવાડામાં પ્રતીક જોશી અને તેના પરિવારને જાણતા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની જાણ થતા જ તેમનો પરિવાર અમદાવાદ દોડી આવ્યો હતો.
ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું. તેમાં ૧૨ ક્રૂ મેમ્બર સહિત ૨૪૨ લોકો સવાર હતા. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો. મૃત્યુ પામેલા ૨૪૧ લોકોમાં ૧૬૯ ભારતીય, ૫૨ બ્રિટિશ, ૭ પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે.