રાજુલામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મારુતિધામ મંદિર પાછળ નગરપાલિકા દ્વારા સખીમંડળની બહેનોએ જહેમત ઉઠાવીને વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં પાલિકાના સદસ્યો જોડાયા હતા અને “એક પેડ મા કે નામ”ની નેમ સાથે વૃક્ષારોપણ થયું હતું. આ તકે, રાજેશભાઈ ઝાંખરા, પરાગભાઈ જોષી, સદસ્ય અર્ચનાબેન જોષી, રીવાબા તથા શહેરમાંથી આશિકભાઇ મુની, આરીફભાઈ રૂપાણી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ચિરાગ બી. જોષી જોડાયા હતા.