રાજકોટ શહેરમાંથી કોઠારીયા વિસ્તારના શિવમ સોસાયટીમાં રહેતા જબીઉલ્લાહ નિઝામીનું મોટરસાયકલ તા.૧૪/ના રોજ ગુમ થયેલ હતું. આ મોટરસાયકલ વડીયા તાલુકાના કુંકાવાવ આઉટપોસ્ટ વિસ્તારના લાખાપાદર ગામના સ્મશાન પાસેથી બિનવારસી મળી આવતા વડીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ગાંગણાની સૂચનાથી આ મોટરસાયકલના આરટીઓ રજીસ્ટ્રેશન નંબર GJ03AN1817 પરથી તેમના મૂળ માલિકની ખરાઈ કરી તેમને કુંકાવાવ ખાતે રૂબરૂ બોલાવી તેરા તુજ કો અર્પણ સૂત્રને સાર્થક કરી તેને પરત કરવામાં આવ્યુ છે. ત્યારે વડીયા પોલીસની કામગીરી બિરદાવી અને પોલીસનો આભાર માન્યો હતો.