રાજકુમારી વિવેકાકુમારીજી સાબરકાંઠા જિલ્લામાં ઇડર રાજગાદીનાં વારસદાર તરીકે જાહેર કરાયા છે. ઈડર શાહી પરિવારનાં મહારાજા રાજેન્દ્રસિંહજીએ રાજકુમારીને વારસદાર તરીકે જાહેર કર્યા છે. મહારાજા રાજેન્દ્રસિંહે હયાતીમાં રાજકુમારીને રાજગાદી સોંપવાનો પ્રેરણારૂપ નિર્ણય કર્યો છે. પ્રતાપ પેલેસ સહિતનાં ઈડર શાહી પરિવારના વારસાને તેઓ સંભાળશે.
આ સાથે રાજકુમારી વિવેકાકુમારીજી ઈડર સ્ટેટનાં વારસા અને સામાજિક જવાબદારીઓ પણ નિભાવશે. રાજકુમારી હાલ મુંબઈનાં અલ્ટામાઉન્ટ સ્થિત વિજયાભવનમાં સ્થાયી છે. વિવેકાકુમારી ગોંડલનાં રાજકુમારી અને ઈડર શાહી પરિવારના મહારાણી પ્રકાશકુમારીનાં સંતાન છે. રાજકુમારી વિવેકાકુમારીએ યુકેની એસ્ટર યુનિવર્સિટીમાંથી વાણિજ્ય એમએસસીનો અભ્યાસ કર્યો છે. શાહી વારસાનાં ઉત્તરાધિકારી તરીકે દીકરીની નિમણૂક પર રાજકુમારીએ સન્માનિત ભાવ વ્યક્ત કર્યો છે.