યુઝવેન્દ્ર ચહલ ઇન્ડીયન પ્રીમિયર લીગની ૧૮મી સીઝન ૩ જૂને ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની જીત સાથે સમાપ્ત થઈ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે રમાયેલી આ ફાઇનલ મેચમાં,આરસીબી ટીમનું વર્ચસ્વ સંપૂર્ણ રીતે જાવા મળ્યું હતું, જેના કારણે અંતે તેઓ ૧૮ વર્ષની લાંબી રાહ પછી પ્રથમ આઇપીએલ ટ્રોફી જીતવામાં સફળ રહ્યા. પંજાબ કિંગ્સ પણ તેમની પહેલી ટ્રોફીની રાહ જાઈ રહ્યા હતા પરંતુ હવે તેમાં વધુ વધારો થયો છે. તે જ સમયે, ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સ ટીમ તરફથી રમતા યુઝવેન્દ્ર ચહલના નામે એક રેકોર્ડ નોંધાયો હતો, જેને કોઈ પણ ખેલાડી ક્યારેય તોડવા માંગશે નહીં.
આઇપીએલ ૨૦૨૫ સીઝન યુઝવેન્દ્ર ચહલ માટે અપેક્ષા મુજબ બિલકુલ નહોતી, જેમાં કેટલીક મેચોમાં ફિટનેસ સમસ્યાઓના કારણે તેને બહાર રહેવું પડ્યું હતું. તે જ સમયે, ચહલના નામે હવે આઇપીએલમાં એક એવો રેકોર્ડ છે જેને કોઈ પણ ખેલાડી ક્યારેય તોડવાનો પ્રયાસ કરશે નહીં. યુઝવેન્દ્ર ચહલ આઇપીએલ ઇતિહાસમાં પ્રથમ ખેલાડી બન્યો છે જેણે કુલ ત્રણ વખત અલગ અલગ ટીમો સાથે ફાઇનલ મેચ રમી છે અને ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ચહલે ૨૦૧૬ ની આઇપીએલ સીઝનમાં ઇઝ્રમ્ માટે ફાઇનલ મેચ રમી હતી અને તેમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પછી, યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સ ટીમ માટે ૨૦૨૨ ની આઇપીએલ સીઝન રમી હતી જેમાં તે હારી ગયો હતો. હવે આઇપીએલ ૨૦૨૫ ની સીઝનમાં, જ્યારે ચહલ પંજાબ કિંગ્સ માટે રમી રહ્યો હતો, ત્યારે તેની ટીમે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું પરંતુ ત્યાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
આઇપીએલ ૨૦૨૫ માં યુઝવેન્દ્ર ચહલના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે કુલ ૧૪ મેચ રમી હતી જેમાં તે ૨૬.૮૭ ની સરેરાશથી કુલ ૧૬ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ચહલે આ સીઝનમાં હેટ્રિક લેવાનો પણ કારનામો કર્યો હતો, જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ૨૮ રનમાં ૪ વિકેટ હતું. ચહલે અંતિમ મેચમાં એક વિકેટ લીધી હતી, જેની સાથે તે હવે ભારતમાં ટી૨૦ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે પીયૂષ ચાવલા સાથે સંયુક્ત પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.