મોઢ વણિક કોમ્યુનિટી પ્રોપર્ટી દ્વારા, પારેખ રણછોડ દેવચંદ વિદ્યાર્થી ગૃહ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે દસમો વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પ ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ મોઢ મહાજન વાડી, અમરેલી ખાતે યોજાયો હતો.આ કેમ્પનું ઉદ્‌ઘાટન રમેશચંદ્ર ભટ્ટ, સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ પરીખ, રાજુભાઈ પરીખ, ભાગીરથીબેન સોલંકી, ડો. રવિભાઈ પરમાર અને કિર્તીભાઈ ભટ્ટની હાજરીમાં થયું હતું. આ પ્રસંગે રમેશચંદ્ર ભટ્ટ દ્વારા ગૌશાળા-અમરેલીને ૫૧ હજાર રૂપિયાનું ચેક દ્વારા દાન પણ આપવામાં આવ્યું હતું. મોઢ વણિક જ્ઞાતિ દ્વારા ચાલુ વર્ષે સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત આ દસમો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ વખતના કેમ્પમાં કુલ ૬૧ દર્દીઓએ લાભ લીધો હતો, મોતીયાના ઓપરેશન સુદર્શન નેત્રાલય દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે, જ્યારે ચશ્માનું વિતરણ રાહત દરે કરવામાં આવ્યું હતું.