ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ વનડે વર્લ્ડ કપ ૨૦૧૧ નો ખિતાબ જીત્યો, ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં શ્રીલંકાને ૬ વિકેટથી હરાવ્યું. હવે પીયૂષ ચાવલાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.
પીયૂષ ચાવલાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે બે દાયકાથી વધુ સમય વિતાવ્યા પછી, હવે સુંદર રમતને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. ભારત માટે રમવાથી લઈને ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૦૭ અને વનડે વર્લ્ડ કપ ૨૦૧૧ જીતનાર ટીમનો ભાગ બનવા સુધી, આ અદ્ભુત સફરમાં દરેક ક્ષણ આશીર્વાદ જેવી રહી છે. આ યાદો મારા હૃદયમાં રહેશે.
તેમણે આગળ લખ્યું કે મારા પર વિશ્વાસ રાખનારા આઇપીએલ ફ્રેન્ચાઇઝીનો હૃદયપૂર્વક આભાર. પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ.આઇપીએલ મારી કારકિર્દીનો એક ખાસ અધ્યાય રહ્યો છે. હું મારા કોચ કેકે ગૌતમ અને સ્વર્ગસ્થ પંકજ સારસ્વતનો ખૂબ ખૂબ આભારી છું, જેમણે મને
આભાર – નિહારીકા રવિયા ક્રિકેટર તરીકે તૈયાર કર્યો. આ ખાસ સફર મારા સ્વર્ગસ્થ પિતા વિના પૂર્ણ ન થઈ હોત.
હું બીસીસીઆઇ,યુપીસીએ (ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન) અને જેસીએ (ગુજરાત ક્રિકેટ એસોસિએશન)નો પણ આભાર માનું છું કે તેમણે મને ક્રિકેટર તરીકે પોતાને વિકસાવવાની તકો આપી. આજનો દિવસ મારા માટે ખૂબ જ ભાવનાત્મક છે કારણ કે હું સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. હવે હું એક નવી સફર શરૂ કરવા માટે ઉત્સુક છું.
પીયુષ ચાવલાએ ૨૦૦૬ માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પરંતુ ખરાબ ફોર્મેટને કારણે, તે ટીમમાંથી અંદર-બહાર થતો રહ્યો અને તેને રમવાની ઘણી તકો મળી નહીં. તેણે ટીમ ઈન્ડિયા માટે ૩ ટેસ્ટ મેચમાં ૭ વિકેટ લીધી. આ ઉપરાંત, તેણે ૨૫ વનડે માં ૩૨ વિકેટ લીધી. ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે ૪ વિકેટ છે.
પીયુષ ચાવલાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની તક ન મળી હોવા છતાં, તેણે આઇપીએલ માં પોતાનો કમાલ બતાવ્યો અને કુલ ૧૯૨ વિકેટ લીધી. તે ગયા સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો.