સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસન ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૨૦ જૂનથી ૫ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. ટીમ ઇન્ડીયાના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન યોજાનારી ટેસ્ટ શ્રેણી પહેલા પટૌડી ટ્રોફી તરીકે જાણીતી હતી, જેનું નામ હવે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચમાં,ઇસીબીએ પટૌડી પરિવારને એક પત્ર લખીને જાણ કરી હતી કે તેઓ આ ટ્રોફીને નિવૃત્ત કરવા માંગે છે. તે જ સમયે, હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીને પણ એક નવું નામ આપવામાં આવ્યું છે, જેનું નામ વિશ્વ ક્રિકેટના બે મહાન ખેલાડીઓ, સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસનના નામ પરથી રાખવામાં આવ્યું છે.
જ્યારે સચિન તેંડુલકરે લાંબા સમય સુધી વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ મેળવ્યું હતું, ત્યારે જેમ્સ એન્ડરસનએ ઝડપી બોલર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.બીબીસી સ્પોર્ટ્‌સ રિપોર્ટ અનુસાર, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આગામી ટેસ્ટ શ્રેણી હવે તેંડુલકર-એન્ડરસન ટ્રોફી તરીકે ઓળખાશે, જેની પહેલી મેચ ૨૦ જૂને હેડિંગ્લી ગ્રાઉન્ડ પર યોજાશે. ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં ઇસીબી દ્વારા ટ્રોફીનું નવું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં તેમના કરિયર દરમિયાન જેમ્સ એન્ડરસન સામે કુલ ૧૪ મેચ રમી છે, જેમાં જેમ્સ એન્ડરસને સચિનને તેમની ટેસ્ટ કારકિર્દીમાં સૌથી વધુ વખત એટલે કે ૯ વખત આઉટ કર્યો છે. સચિને ટેસ્ટ ક્રિકેટમાં જેમ્સ એન્ડરસનના કુલ ૩૫૦ બોલનો સામનો કર્યો છે જેમાં તે ૨૩.૧૧ ની સરેરાશથી ૨૦૮ રન બનાવી શક્્યો હતો. સચિને ૨૬૦ ડોટ બોલનો સામનો કરતી વખતે એન્ડરસનના બોલ પર ૩૪ ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સચિન હજુ પણ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પ્રથમ ક્રમે છે, કુલ ૧૫૯૨૧ રન તેના નામે છે, જ્યારે જેમ્સ એન્ડરસન ૭૦૪ વિકેટ સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ત્રીજા ક્રમે છે.