પ્રજ્વલ, સહાના, પૂર્ણ ચંદ્ર, શિવલિંગ સ્વામી, ભૌમિક, શ્રવણ… આ તે નામો છે જેમણે બેંગ્લુરૂ નાસભાગમાં પોતાનો જીવ ગુમાવ્યો. બુધવારે સાંજે બેંગલુરુમાં થયેલી ભયંકર ભાગદોડમાં ૧૧ લોકોના મોત થયા હતા, જ્યારે ૩૩ લોકો ઘાયલ થયા હતા, જેમની સારવાર વિવિધ હોસ્પિટલોમાં ચાલી રહી છે. વાસ્તવમાં, આ ભાગદોડ કોઈ રાજકીય રેલી કે ધાર્મિક કાર્યક્રમમાં થઈ ન હતી, પરંતુ આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતની ઉજવણી કરતી વખતે થઈ હતી.
આરસીબીએ ૧૮ વર્ષની લાંબી રાહ જાયા પછી આઇપીએલ ટ્રોફી જીતી. આ ખુશીમાં, બેંગલુરુના વિધાન સૌધામાં આરસીબી ટીમના સન્માનમાં એક સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ સમગ્ર મામલામાં નોંધનીય વાત એ હતી કે જ્યારે સામાન્ય લોકો ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર કલાકો સુધી રાહ જાઈ રહ્યા હતા, તે દરમિયાન ભાગદોડ મચી ગઈ, લોકો મરી રહ્યા હતા, જ્યારે મંત્રીના પુત્રને વિરાટ કોહલી સાથે સ્ટેજ પર ઉભા રાખવાની તૈયારી ચાલી રહી હતી.
આરસીબીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેમને મીડિયા રિપોર્ટ્‌સ પરથી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની જાણ થઈ અને તાત્કાલિક તેમનો કાર્યક્રમ બદલ્યો. ટીમે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તમામ સમર્થકોને સુરક્ષિત રહેવાની અપીલ કરી.
આ દરમિયાન, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ભાગદોડ માટે ક્રિકેટ એસોસિએશનને જવાબદાર ઠેરવ્યું. તેમણે કહ્યું કે સ્ટેડિયમમાં નાના દરવાજા હતા અને લોકો દરવાજા તોડીને અંદર ઘૂસી ગયા, જેના કારણે ભાગદોડ મચી ગઈ. મુખ્યમંત્રીએ તેને ‘અનપેક્ષિત અકસ્માત’ ગણાવ્યો અને કહ્યું કે ૩૫,૦૦૦ ની ક્ષમતાવાળા સ્ટેડિયમની બહાર ૩-૪ લાખ લોકો એકઠા થયા હતા.
મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારોને ૧૦ લાખ રૂપિયાની નાણાકીય સહાય અને તમામ ઘાયલોને મફત સારવાર આપવાની જાહેરાત કરી છે. તેમણે વિપક્ષી પાર્ટી ભાજપના પ્રશ્નોનો જવાબ આપ્યો અને મહાકુંભમાં થયેલી ભાગદોડનું ઉદાહરણ આપ્યું અને આવી ઘટનાઓ પર રાજકારણ ન કરવા કહ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો. તેમણે ઠ પર લખ્યું, “બેંગલુરુમાં થયેલો અકસ્માત ખૂબ જ હૃદયદ્રાવક છે. આ દુઃખદ ક્ષણમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ લોકો સાથે મારી સંવેદના છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”