વર્ષ ૨૦૨૨માં દોલતી ગામથી ભમ્મર અને વીજપડી રેલવે સ્ટેશન સુધી બે કરોડના ખર્ચે માઇનોર બ્રિજના કામ મંજૂર થયેલ. ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ સરકાર દ્વારા ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. હાલમાં આ રસ્તો ખૂબ જ જર્જરિત હાલતમાં હોય રાહદારીઓને અવરજવર માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે જેથી આ રસ્તાનું કાર્ય ઝડપથી શરૂ થાય અને જર્જરિત રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે. અન્યથા ગ્રામજનોને સાથે રાખી આંદોલન કરવામાં આવશે તેમ સાવરકુંડલા યુવક કોંગ્રેસના પ્રમુખ નિર્મળ વાટલીયાની યાદીમાં જણાવાયું છે.