બાબાપુર ગામના શ્રી સર્વોદય સરસ્વતી મંદિર બાલઘર (અનાથાશ્રમ)ના બાળકો અને સુરત આશીર્વાદ માનવ મંદિરના માનસિક રીતે અસ્વસ્થ પ્રભુજીઓને સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ત્રણ દિવસ-ત્રણ રાત્રિની દેવદર્શન યાત્રા કરાવવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ પી.ડી. દેસાઈ અને ઉપપ્રમુખ જયશ્રીબેન દેસાઈના
નેતૃત્વ હેઠળ આ યાત્રામાં યાત્રાળુઓએ દ્વારકા, સ્વામિનારાયણ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂક્ષ્મણી મંદિર, સોમનાથ જ્યોતિર્લિંગ, ભાલકાતીર્થ, ખોડલધામ (કાગવડ), સ્વામિનારાયણ મંદિર ગોંડલ, વીરપુર (જલારામ મંદિર), સારંગપુર (શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર) અને વડતાલ જેવા વિવિધ ધામોના દર્શનનો લાભ લીધો હતો.