૧૯ જૂને ગુજરાત વિધાનસભાની વિસાવદર અને કડી બેઠકની પેટાચૂંટણી યોજાવાની છે. હાલ આ બંને બેઠકમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એમ ત્રણેય પક્ષના ઉમેદવારો મેદાને છે. કડી વિધાનસભા બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા એમ ત્રણેય પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જાર લગાવી રહ્યા છે. જાકે કડી વિધાનસભા બેઠકમાં ભાજપનો ગઢ રહ્યો છે. ત્યારે ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા અનોખો પ્રચાર શરૂઆત કરાયો છે.
આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભા માટે એક વિનંતીપત્ર લોન્ચ કર્યો છે. જેના મારફત આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા કડીના સ્થાનિક વ્યક્તિ છે અને જે-જે મુદ્દા ઉપર કાર્ય કરશે તે મુદ્દાનું વિનંતીપત્ર જનતા સમક્ષ મૂકીને પ્રચાર-પ્રસાર માટેની રણનીતિ ઘડવામાં આવી છે. આમ આદમી પાર્ટી કડી વિધાનસભામાં ઘરે ઘરે જશે અને લોકો સમક્ષ જગદીશ ચાવડાના વિચાર રજૂ કરશે અને કડી માટે તેમનું વિઝન પણ રજૂ કરશે. જેમાં રોડ-રસ્તા, સરકારી શાળાઓ, આરોગ્ય વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા જેવી તમામ મૂળભૂત પાયાની જરૂરિયાતો પર કામ કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા જા ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચશે તો તેઓ જે કામ કરશે તે તમામ મુદ્દાઓનું વિનંતીપત્ર આજે લોન્ચ કર્યું છે. આ વિનંતીપત્ર સાથે મતદારોને રીઝવવા માટે પ્રયાસ હાથ ધર્યો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીનું વિનંતીપત્ર કેટલું રંગ રાખે છે, તે તો ૨૩ જૂને પરિણામ આવતાં જ ખ્યાલ આવશે કે કડી વિધાનસભાની જનતા કોને સમર્થન આપે છે.