ભાવનગરના પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં પતિ દ્વારા પત્નીની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. આરોપી સાગરભાઈ ચનાભાઈએ પોતાની પત્ની દિશાબેન પર શંકા રાખીને તેમની હત્યા કરી નાખી હતી. આ ઘટના પગલે પોલીસ સ્ટેશનનો કાફલાએ ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ પાલીતાણાના શક્તિનગર ખાતે પતિએ શંકાના આધારે પત્નીની હત્યાની ઘટના સામે આવી છે એ ઘટનાની જાણ થતાં જ પાલીતાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.