આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પાકિસ્તાનની વાસ્તવિક સ્થિતિ એ છે કે કોઈ પણ દેશ તેના શબ્દોને ગંભીરતાથી લેતો નથી
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને મંગળવારે કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે યોજાયેલી બેઠક પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, આજે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પાકિસ્તાનની વાસ્તવિક સ્થિતિ એ છે કે કોઈ પણ દેશ તેના શબ્દોને ગંભીરતાથી લેતો નથી અને ન તો પરમાણુ હથિયારો પર હુમલો કરવાની અને સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાની તેની ધમકીનો ભારત પર કોઈ પ્રભાવ પડે છે.
અકબરુદ્દીને કહ્યું કે, બહુપક્ષીય સંગઠનોનો ઉપયોગ કરીને વિશ્વનું ધ્યાન આકર્ષિત કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ નવો નથી. આપણે આ ઘણી વાર જાયું છે. આ વખતે, ૬૦ વર્ષમાં પહેલી વાર, તેમણે એવો એજન્ડા રજૂ કરવાનો પ્રયાસ કર્યો જેની ચર્ચા પહેલાં ક્યારેય થઈ ન હતી. તે ભારત-પાકિસ્તાનનો પ્રશ્ન છે. ભારત-પાકિસ્તાન પ્રશ્ન પર છેલ્લી વાર ઔપચારિક ચર્ચા ૧૯૬૫માં થઈ હતી. પાકિસ્તાને વિચાર્યું કે આના દ્વારા તે ફરી એકવાર ભારત-પાકિસ્તાન મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર લાવી શકે છે અને તેને ચર્ચાનો વિષય બનાવી શકે છે. પણ એ તો માત્ર એક બહાનું હતું.
ભૂતપૂર્વ રાજદ્વારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન જાહેર રાજદ્વારી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. હકીકતમાં, તે આ પ્લેટફોર્મનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર વાતો માટે નહીં, પરંતુ પોતાના દેશની છબી સુધારવા માટે કરે છે. તેથી, તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો. ઢોંગ કામ ન આવ્યો. સુરક્ષા પરિષદે તેમનો કેસ પણ સ્વીકાર્યો નહીં. તેમણે કહ્યું કે આ પાકિસ્તાન માટે એક મોટો આંચકો છે, જે મહિનાઓથી ૧૫ દેશો સાથે આ મુદ્દા પર કામ કરી રહ્યું હતું. પછી તેને ખબર પડી કે તે જે ઇચ્છતો હતો તે સ્વીકારવામાં આવી રહ્યું નથી.
અકબરુદ્દીને કહ્યું કે સુરક્ષા પરિષદ આ રીતે કાર્ય કરે છે… પહેલા ઠરાવ આવે છે, પછી રાષ્ટ્રપતિનું નિવેદન, પછી પ્રેસ સ્ટેટમેન્ટ અને અંતે સુરક્ષા પરિષદના વડા પ્રેસને મૌખિક રીતે કંઈક કહે છે. આ બેઠક પછી આ ચારમાંથી કોઈ ઘટના બની નહીં. આનો અર્થ એ થયો કે પાકિસ્તાને ગમે તેટલો પ્રયાસ કર્યો, તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. તમે જાઈ શકો છો કે પાકિસ્તાનના પ્રયાસોનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. આટલા બધા પ્રયત્નો છતાં તેને કોઈનો ટેકો ન મળ્યો.
તેમણે કહ્યું, જે થવાનું હતું, તે થયું – આમાં કોઈ આશ્ચર્ય નથી. તેમણે કહ્યું કે તેઓ પહેલાથી જ જાણતા હતા કે પાકિસ્તાનને કોઈ સમર્થન મળશે નહીં કારણ કે આજના વિશ્વમાં પાકિસ્તાનને ગંભીર અને વિશ્વસનીય દેશ માનવામાં આવતો નથી. બધા જાણે છે કે પાકિસ્તાનના પ્રયાસો ફક્ત દેખાડો અને પ્રચાર માટે છે, કોઈ ગંભીર વાતચીત કે ઉકેલ માટે નહીં. તે ફક્ત સ્ટેજ પર જ બોલવા માંગે છે પણ વાસ્તવિક વાતચીતમાં રસ નથી.તેમણે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસની પાકિસ્તાનની માંગને ચીનના સમર્થનનો પણ જવાબ આપ્યો. અકબરુદ્દીને કહ્યું કે, આ એક એવી રમત છે જે પાકિસ્તાન નિયમિતપણે રમે છે. આ એક એવી રમત છે જેમાં તે ડગમગી જાય છે. આ એક એવી રમત છે જેમાં તેનો એકમાત્ર સદાબહાર મિત્ર ચીન છે. પરંતુ બાકીનું વિશ્વ આગળ વધી ગયું છે, તે પાકિસ્તાનને તેના અસ્તીત્વ માટે ઓળખે છે. સૈયદ અકબરુદ્દીને એમ પણ કહ્યું કે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થવા પર પરમાણુ હુમલાની ધમકીનો ભારત પર કોઈ પ્રભાવ પડવાનો નથી. અગાઉ, સૈયદ અકબરુદ્દીને કહ્યું હતું કે આવી ચર્ચાઓથી કોઈ પરિણામની અપેક્ષા રાખી શકાતી નથી “જ્યાં સંઘર્ષનો એક પક્ષ કાઉન્સીલના સભ્યપદનો ઉપયોગ કરીને ચર્ચાને આકાર આપવાનો પ્રયાસ કરે છે”. ભારત આવા પાકિસ્તાની પ્રયાસોને નિષ્ફળ બનાવશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે બંધ બારણે થયેલી બેઠકના થોડા સમય પહેલા, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવના સ્તર છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી વધુ હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “સંબંધો આટલી ખરાબ સ્થિતિમાં પહોંચી ગયા છે તે જાઈને મને દુઃખ થાય છે.” એન્ટોનિયો ગુટેરેસે એમ પણ કહ્યું હતું કે તેઓ પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ લોકોની લાગણીઓને સમજે છે. તેમણે આતંકવાદી હુમલાની પણ કડક નિંદા કરી. તેમણે કહ્યું હતું કે નાગરિકોને નિશાન બનાવવું અસ્વીકાર્ય છે અને તેના માટે જવાબદાર લોકોને ન્યાયના કઠેડામાં લાવવા જાઈએ.પહેલગામ આતંકવાદી હુમલા અને ૨૬ લોકોની ક્રૂર હત્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને દેશોની સેનાઓ સંપૂર્ણ એલર્ટ મોડ પર છે જેના કારણે આ ક્ષેત્રમાં મોટા યુદ્ધનો ખતરો છે. આવા સમયે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે બંધ રૂમમાં ચર્ચા કરી છે. માહિતી અનુસાર, આ બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલાના મુદ્દા પર પાકિસ્તાનને આકરી ઠપકો આપવામાં આવ્યો હતો.