ધોરાજી યુથ હોસ્ટેલ યુનિટ દ્વારા ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સ્વામિનારાયણ મંદિર ફરેણીધામ ખાતે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંવાદનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે નિલકંઠ ચરણદાસ સ્વામીએ દેશી કુળના વૃક્ષોનું વાવેતર કરી સૌને પર્યાવરણ અને વૃક્ષોની મહત્તા વિશે માહિતગાર કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ યુથ હોસ્ટેલ રાજ્ય શાખાના અગ્રણી ઝાલાભાઈ, વિનુભાઈ ઉકાણી, જગદીશભાઈ ગામોટ, હરેશભાઈ ત્રિવેદી વગેરેએ વૃક્ષો વાવી અને જતન કરવાની પણ જવાબદારી સ્વીકારીને પર્યાવરણ જાળવણી માટે સંકલ્પ લીધો હતો.