ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘરાજાનું આગમન થયું હતું. તાલુકાના છાડવાવદર ગામે બે ઇંચ વરસાદ સાથે વીજળી પડતા બે પશુઓના મોત થયા હતા. વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી થતા જગતનો તાત ખુશખુશાલ થયો હતો. કપાસ, મગફળી જેવા આગોતરા પાકને લાભ થશે.વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધોરાજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામભાઈ હેરભાએ જણાવ્યું કે, ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે બે ઇંચ વરસાદ સાથે વીજળી પડતા પરબતભાઈ દામજીભાઈ ડાભી ભરવાડ ગામ છાડવાવદર વાળાના એક બળદ અને એક ભેંસના વીજળી પડવાથી મોત થયા છે.