ધોરાજીના કુંભારવાળા વિસ્તારમાં આવેલી સરદાર દૂધ ડેરી ખાતે ભેળસેળની શંકાના આધારે ફૂડ એન્ડ સેફ્‌ટી વિભાગ અને રાજકોટ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્‌ટી વિભાગના અધિકારીઓ અને LCB PIવી. વી. ઓડેદરા, એચ. સી. ગોહિલ, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી સહિતની ટીમે ડેરીમાં તપાસ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક ચીજ વસ્તુઓ મળી આવી ન હતી. જોકે, ફૂડ વિભાગના અધિકારીઓએ દૂધ, દહીં અને છાશના નમૂના પરીક્ષણ માટે લીધા હતા. આ સેમ્પલ ફૂડ સેફ્‌ટી વિભાગ દ્વારા ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.