રાજધાની દિલ્હીમાં એક દુઃખદ માર્ગ અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અકસ્માત દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં બન્યો છે. શિવ કેમ્પ નજીક ફૂટપાથ પર સૂતા પાંચ લોકો ઘાયલ થયા હતા, જ્યારે એક નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે તેમના પર ગાડી ચલાવી દીધી હતી. ઘાયલોમાં બે યુગલો અને એક આઠ વર્ષની છોકરીનો સમાવેશ થાય છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના ૯ જુલાઈના રોજ સવારે ૧ઃ૪૫ વાગ્યે બની હતી. કાર ચાલક ઉત્સવ શેખર (૪૦) ની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી કાર ચાલકના મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ મળી છે કે તે ઘટના સમયે નશામાં હતો. અધિકારીઓ સ્થળ પર પહોંચે તે પહેલાં જ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. પીડિતોની ઓળખ લાધી (૪૦), તેની આઠ વર્ષની પુત્રી બિમલા, તેના પતિ સબમી ઉર્ફે ચિરમા (૪૫), રામ ચંદ્ર (૪૫) અને તેની પત્ની નારાયણી (૩૫) તરીકે થઈ છે. બધા રાજસ્થાનના રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, “વસંત વિહારના શિવ કેમ્પની સામે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે એક ઓડી કારે ફૂટપાથ પર સૂતા લોકોને કચડી નાખ્યા હતા. મૃતકોમાં લાધી (ઉંમર ૪૦ વર્ષ), બિમલા (ઉંમર ૮ વર્ષ), સબમી (ઉંમર ૪૫ વર્ષ), નારાયણી (ઉંમર ૩૫ વર્ષ) અને રામચંદર (ઉંમર ૪૫ વર્ષ)નો સમાવેશ થાય છે. આ ઘટના ૯ જુલાઈ ૨૦૨૫ ના રોજ સવારે ૧:૪૫ વાગ્યે બની હતી. દિલ્હી પોલીસને પીસીઆર કોલ દ્વારા માહિતી મળી હતી. વસંત વિહાર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતગ્રસ્ત વાહનના ડ્રાઈવર, ઉત્સવ શેખર (૪૦ વર્ષ) દ્વારકાના રહેવાસીની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.”