વડીયાના અમરાપુરામાં રહેતી એક પરિણીતાના લગ્ન  સાવરકુંડલામાં રહેતા યુવક સાથે થયા હતા. પતિએ ‘તું મને ગમતી નથી, તે મારી સાથે શું કામ લગ્ન કર્યા’ તેમ કહી પત્નીને ધમકી આપી હતી. બનાવ અંગે અમરાપુરમાં રહેતી કાજલબેન ઓધડભાઈ પડસાળીયા (ઉ.વ.૨૦)એ સાવરકુંડલામાં રહેતા પતિ વિશાલભાઈ ભુપતભાઈ જોગસવા તથા સસરા ભુપતભાઈ કાનાભાઈ જોગસવા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ‘પતિએ તું મને ગમતી નથી, તેં મારી સાથે લગ્ન શું કામ કર્યા છે’ તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ સસરા તેમના પિયરમાં આણુંનું પૂછવા માટે આવ્યા તે વખતે તેમણે કહ્યું કે, ‘તમારો દીકરો મને ગાળો આપે છે અને કહેલ કે તે તું મને ગમતી નથી જેથી મારે તમારે ઘરે આવવુ નથી’ તેમ કહ્યું હતું, જેથી સસરાએ તું અમારા ઘરે નહીં આવ તો તારા ભાઇને જાનથી મારી નાખીશું અને તું બીજે લગ્ન કરીશ તો તને પણ જાનથી મારી નાખીશ તેમ ધમકી આપીને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાધલા વધુ તપાસ કરી રહ્યા છે.