ગુજરાત કોંગ્રેસના મહામંત્રીની સ્ટેટ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજેશ સોનીની સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા મોડી રાત્રે ધરપકડ કરી છે. બીજી તરફ કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ દ્વારા પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતીઅનુસાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોની સીઆઇડી ક્રાઇમ દ્વારા અટકાયત કરાઈ છે. સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની કચેરી દ્વારા અટકયત કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા માહિતી આપવામાં આવી કે,બીએનએસ ૧૫૨,૩૫૩એ સહિત ની કલમો ઝ્રૈંડ્ઢ ક્રાઇમ દ્વારા લગાવવામાં આવી છે. સેનાનું મનોબળ તોડવા બદલ કોંગ્રેસ નેતા રાજેશ સોનીની ધરપકડ કરાઈ.
ગઈ રાત્રે જેમ કોઈ આતંકવાદીને પકડવો હોય તે રીતે ચાર વાગે એક સામાજિક આગેવાન અને રાજકીય કાર્યકર્તા રાજેશભાઈ ટી. સોનીની સાઈબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમના દ્વારા મુકાયેલી પોસ્ટને જાઈએ તો એમાં સ્પષ્ટ વાત માત્ર એટલી જ છે કે આપણી બહાદુર સેનાના સૈનિકોને તેમણે બતાવેલી
રાજેશ સોનીની ધરપકડ થતા કોંગ્રેસના નેતાઓ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ કચેરી પહોંચ્યા હતા. રાજકીય પોસ્ટ મુકવા બદલ ધરપકડ કરાઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના આગેવાનો અને લીગલ ટીમના સભ્યો સીઆઇડી ક્રાઇમની કચેરી પહોંચ્યા હતા. રાજકીય કિન્નાખોરી રાખીને કોંગ્રેસ નેતાની ધરપકડ કરાય હોવાનો કોંગ્રેસે આક્ષેપ મૂક્યો.
ગુજરાત કોંગ્રેસ મહામંત્રી રાજેશ સોનીના સામર્થનમાં શક્તિસિંહ ગોહિલ આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટ કરી સરકાર પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, સેનાની તરફેણ કરવી ગુનો હોય તો અમારા બધાને જેલમાં નાખો. શૌર્યનો શ્રેય સેનાને મળવો જોઈએ, ઓપરેશન સિંદૂરનો રાજકીય લાભ ના લેવો જજોઈએ.
કોંગ્રેસ નેતા રાજેશ સોની સામે સાયબર સેલની ફરિયાદ મામલે સાયબર સેલના એસપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર અને સેના અંગેની ખોટી ટિપ્પણી અંગે ગુનો નોંધ્યો છે. રાજેશ સોની દ્વારા સેના અંગે ખોટી ટિપ્પણી કરવામાં આવી હતી. જે બદલ રાજેશ સોની સામે ગુનો નોંધ્યો છે.
ગઈ રાત્રે જેમ કોઈ આતંકવાદીને પકડવો હોય તે રીતે ચાર વાગે એક સામાજિક આગેવાન અને રાજકીય કાર્યકર્તા રાજેશભાઈ ટી. સોનીની સાઈબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમના દ્વારા મુકાયેલી પોસ્ટને જોઈએ તો એમાં સ્પષ્ટ વાત માત્ર એટલી જ છે કે આપણી બહાદુર સેનાના સૈનિકોને તેમણે બતાવેલી બહાદુરીનો શ્રેય મળવો જાઈએ અને જે પ્રજાની તિજારીના પૈસા છે એ પબ્લીસિટીમાં વાપરવા જોઈએ નહીં અને રાજકીય લાભ સિંદૂર ઓપરેશનના નામે લેવો જોઈએ નહીં. દેશના તમામ નાગરિકોના મનમાં આ વાત પડી છે કે જે બહાદુરીપૂર્ણ કામ આપણી સેના કરે છે તેનો શ્રેય સેનાને જ મળવો જોઈએ. જે રીતે સરકાર પબ્લીસિટી કરે છે તે જોતા સૈનિકોને શ્રેય મળશે નહીં તેની ચિંતા વ્યક્ત કરી છે . માત્ર સેના માટે અવાજ ઉઠાવે અથવા તો એમને શ્રેય નહીં મળે એની ચિંતા વ્યક્ત કરે તો એનાથી ગુનો કેવી રીતે બને ? ગુજરાત પોલીસની જે સરકાર દ્વારા દુરુપયોગીતાથી કેસો કરાવવાની નીતિ રહી છે તેનો તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ખૂબ ઉધડો લીધો હતો અને પોલીસની ભયંકર ટીકા કરી હતી. આશા રાખું છું કે પોલીસ ડહાપણ વાપરે અને રાજેશભાઈ સોની એ કોઈ આતંકવાદી નથી, એમની ભાવના સેનાને શ્રેય મળવો જોઈએ એ સ્પષ્ટ છે ત્યારે તેમને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. સેનાની પડખે સમગ્ર દેશ અને કોંગ્રેસ છે. જો માત્ર સેનાની તરફેણ કરવાથી ગુનો બનતો હોય તો મારા સહિત તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ સેનાની તરફેણમાં પોસ્ટ પણ મૂકશે અને અવાજ પણ ઉઠાવશે, તાકાત હોય તો અમને બધાને સરકાર જેલમાં નાંખે. સ્વ મનમોહનસિંહ જી વડાપ્રધાન હતા ત્યારે ભાજપના અનેક નેતા અને સમર્થક મનફાવે તેવી હલકી અને ખોટી બાબતો લખતા હતા પરંતુ કેન્દ્રની કોંગ્રેસની કે રાજ્યોની સરકારે મૌલિક વાણી સ્વતંત્રતાને રોકવાનો કે કેસ કરવાનો પ્રયત્ન નહોતો કર્યો.
કોંગ્રેસના નેતા સોશીયલ મીડિયા પોસ્ટ મુદ્દે ધરપકડ કરાઈ છે. ત્યારે કોંગ્રેસના રાજેશ સોની ધરપકડ મુદ્દે ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતા પોસ્ટ સેનાનું મનોબળ તોડતી પોસ્ટ હતી. રાજકીય રીતે વ્યક્તિના વિરોધની વાત હોય પણ સેનાનું મનોબળ તૂટે એવું ક્્યારેય ના હોય. નૈતિકતા વિરુદ્ધની પોસ્ટ કોંગ્રેસના નેતા કરી હતી. જે અંગે કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે. કોગ્રેસની શું મજબૂરી છે કે આવા નેતાઓ છાવરે છે.