સાહહી યુથ ક્લબ દ્વારા સંચાલિત તપોવન આશ્રમ ખાતે

સારહી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા સંચાલિત નિરાધારના આધાર સમા તપોવન આશ્રમ ખાતે તપેશ્વર મહાદેવ મંદિર નિર્માણ હેતુ પૂજા યજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગે પાળીયાદની સુપ્રસિદ્ધ વિસામણબાપુની જગ્યા, વિહળધામના મહંત અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. પૂજ્ય બા શ્રીએ આશ્રમમાં તપસ્વીઓ માટેની રહેવા-જમવાની વ્યવસ્થા, સારવાર કેન્દ્ર અને લાઇબ્રેરી સહિત સમગ્ર આશ્રમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આશ્રમમાં ઊભી કરાયેલી ઉત્તમ વ્યવસ્થા જોઈને તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો અને સંસ્થાના પ્રમુખ અને મુખ્ય યજમાન મુકેશભાઈ સંઘાણી સહિત ટ્રસ્ટીઓ સુરેશભાઈ શેખવા અને સમગ્ર સ્ટાફને આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા ,સાંસદ ભરતભાઈ સુતરીયા અને અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.