કેન્દ્ર સરકારની M-PRANAM યોજના અંતર્ગત આજે સુત્રાપાડા તાલુકાના પાધ્રુકા ખાતે જી.એસ.એફ.સી. દ્વારા એક ખેડૂત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જી.એસ.એફ.સી.ના અધિકારી રીમ્પલબેન દ્વારા ખેડૂતોને વૈકલ્પિક ખાતરોના ઉપયોગ વિશે
વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને, યુરિયા અને ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરોને બદલે એમોનિયમ સલ્ફેટ અને ૨૦ઃ૨૦ઃ૦ઃ૧૩ જેવા વૈકલ્પિક ખાતરોના ઉપયોગ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમના આયોજનમાં ખેડૂત પ્રતિનિધિ બાબુભાઈ વાઢેર, જી.એસ.એફ.સી. એગ્રો ટેક લિ. ડેપો ઈન્ચાર્જ ભાવેશભાઈ સોલંકી અને જી.એસ.એફ.સી.ના અધિકારી રીમ્પલબેનનો સહયોગ રહ્યો હતો.