કોડીનારમાં આવેલી જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું શ્રેણીબદ્ધ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં પર્યાવરણ જાગૃતિ (પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને વૃક્ષારોપણ), દિવ્યાંગ બાળકોના વાલીઓ માટે સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, અને મતદાન જાગૃતિ જેવા મહત્વપૂર્ણ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના સફળ આયોજનમાં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, ગાંધીનગરના હિમેશ વાંઝા, તેમજ જીવનદીપ સંસ્થાના નિષ્ણાત ફીઝિયોથેરાપિસ્ટ ડા. ભરતભાઈ રાઠોડ, ડા. નિકુંજભાઈ ચુડાસમા, નાઝીમાંબેન જુણેજા અને અમિતાબેન ચાવડાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના સ્વયંસેવકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, અને ગ્રામજનોની ઉત્સાહભરી હાજરી નોંધાઈ હતી, જેમણે પર્યાવરણ જાગૃતિ, દિવ્યાંગ સશક્તિકરણ અને લોકશાહીમાં ભાગીદારી વિશે જ્ઞાન મેળવીને લાભ લીધો હતો.