જાફરાબાદ શહેરમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી ડોકટરોની અછત વર્તાઈ રહી હતી, જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડતી હતી. ખાસ કરીને, આધુનિક સુવિધાઓ ધરાવતી હોસ્પિટલમાં પણ એમબીબીએસ કે અન્ય નિષ્ણાત ડોકટરોની ગેરહાજરી
આભાર – નિહારીકા રવિયા ચિંતાનો વિષય બની હતી. આ બાબતે જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શિયાળ અને બાલકૃષ્ણભાઈ સોલંકી દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને જાફરાબાદ શહેર અને તાલુકાના લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધા મળી રહે તે હેતુથી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બે નવા ડોકટરોની નિમણૂક કરવામાં આવી છે. નવા બે ડોકટરોની નિમણૂક થતા હવે જાફરાબાદ શહેર તેમજ તાલુકાના દર્દીઓને પૂરતી અને સમયસર સારવાર મળી રહેશે, જેનાથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.