જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને માનવ મંદિર સાવરકુંડલાના મહંત ભક્તિરામ બાપુ દ્વારા હોટલ કોહિનૂર ગ્રુપની શિવ શક્તિ હોટલ ખુલ્લી મુકવામાં આવી હતી. જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના વતની દિલુભાઈ વરુની શિવ શક્તિ હોટલમાં જે કોઈ લોકો પગપાળા ચાલીને યાત્રાએ જતા હશે તેને આ હોટલમાં નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કોહિનૂર ગ્રુપના માલિક દિલુભાઈ વરૂ દ્વારા શાંતિ રથ ગ્રામ પંચાયત નાગેશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગંગાસ્વરૂપ બહેનોને સાડી પણ વિતરણ કરવામાં આવી હતી. તેમજ તેમના પૌત્ર જયદિત્યભાઈ વરુના કરવિધિનો કાર્યક્રમ પણ ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યો હતો.