જાફરાબાદ નજીક આવેલા મિતિયાળા ખાતે તપોવન ટેકરી પરના તપસ્વી આશ્રમ ખાતે તપસ્વી બાપુના આશ્રમમાં બ્રહ્મચોર્યાસીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે ભૂદેવો, સાધુ-સંતો તેમજ બાપુના સ્વયંસેવકો અને વેપારી, બ્રહ્મસમાજ તથા સાધુ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમ ઉપરાંત, તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે સોમવારે સુદર્શન નેત્રાલય, અમરેલી દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ પણ યોજાયો હતો.