સંત શુરાની અમીરાત એટલે સોરઠની ભૂમિ જ્યાં દાતારો, સતિ, સેન, શુરાઓની ભૂમિમાં નરબંકા સાવજા ડણક મારતા હોય છે. ગરવા ગીરનારની ગોદમાં જૂનાગઢ જિલ્લાનું આણંદપુર ગામ આવેલું છે. હરસુખભાઈ ચોવટીયા મહેનતુ ખેડૂત એટલે પોતાના સંતાનોને ભણાવી ગણાવી ખેતીની કાળી મજૂરી કરવા કરતા અન્ય વ્યવસાયમાં જાડાય તેવી ઈચ્છા હતી. પોતાના દીકરા કેવલને ભણાવવા માટે સખત પરિશ્રમ કરી બી.કોમ., એમ.કોમ., સી.એ. ઈન્ટરશીપ, ડી.ટી.એલ.પી, એગ્રી બિઝનેસ એન્ડ એગ્રી એન્ટરપ્રિન્યોર સુધીનો અભ્યાસ કરાવ્યો છે. ૩પ વર્ષિય કેવલ પાસે આજે ૭ થી વધારે ડિગ્રીઓ છે. આમ છતાં પણ ખેડૂતનો દીકરો એટલે ખેતીમાં વધારે રસ અને ગામડું તેના માટે ગોકુળ વૃંદાવન આથી ખેતી સાથે જાડાઈને ખેતીલક્ષી વ્યવસાય કરવા ગામડે સંયુક્ત પરિવારમાં રહીને આર્થિક પ્રગતિમાં સાથે ગરવા ગીરનારની ગોદમાં રહીને આગળ વધવાની ઈચ્છા. સમય ક્યારે બદલાય છે એ નક્કી નથી હોતું. સમય રાજાને રંક અને રંકને રાજા બનાવે છે. અયોધ્યામાં રાજતિલક વિધિ થવાની હતી ત્યાં ચૌદ વર્ષનો વનવાસ મળ્યો આ સમયની ગતિ છે. ૩પ વર્ષિય કેવલને ખેડૂતોની ઉત્તમ સેવા કરવાની તક જૂનાગઢ એ.પી.એમ.સીના માધ્યમથી મળી. “સહકારથી સમૃધ્ધિ” અને “વિના સહકાર નહિ ઉધ્ધાર”ના સુત્રને સાર્થક કરવા માટે જ્યારે આ તરવરીયા યુવાનને જૂનાગઢ એ.પી.એમ.સી.ના ચેરમેન બનાવવામાં આવે છે ત્યારે આ યુવાન સંકલ્પબધ્ધ બને છે અને નિર્ણય કરે છે મારાથી થાય એટલી ધરતીપુત્રોની સેવા કરવી. ગામડામાંથી પોતાની ખેત જણસ વેચવા માટે આવતા ખેડૂતોને શુધ્ધ ભરપેટ ભોજન મળી રહે તે માટે માર્કેટીંગ યાર્ડમાં કેન્ટીન શરૂ કરવામાં આવી. આગામી સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ ઉભુ કરવામાં આવી રહ્યું છે. આજે દુનિયા પેસ્ટીસાઈડ અને અન્ય અશુધ્ધ ખોરાકના હિસાબે ભયંકર બીમારીથી પીડાઈ રહી છે ત્યારે પ્રાકૃતિક અનાજ, કઠોળ, તેલિબિયા, શાકભાજીઓ ખેડૂતો પકવતા થાય તેમજ તેને સારા ભાવ મળે તે માટે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક કૃષિ હાર્ટ શરૂ કરવામાં આવશે. જૂનાગઢ તાલુકાના કોઈપણ ખેડૂતનું આકસ્મિક મૃત્યુ થાય તેવા કિસ્સામાં પરિવારને મદદરૂપ થવા એક લાખની સહાય આપવામાં આવે છે. યુવા શક્તિના હાથમાં આવેલી એક સહકારી તક ખરા ખર્થમાં સેવાની જ્યોત બનશે. કેવલ ચોવટીયાનો સંપર્ક નં. ૯૬૩૮૪૯૩૯૯૯ છે.
તિખારો
કોઈપણ વ્યક્તિનો સ્વભાવ જાણવો હોય તો એકલા છોડીને મોબાઈલ આપી દો. શું સર્ચ કરે છે એ જુઓ તેનો સ્વભાવ ખબર પડશે, મોબાઈલને જ ખબર છે તેનો માલિક કેવો છે.