ભુરખીયા ગ્રામ પંચાયત કચેરીમાં જરખીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પી.એમ. જે.વાય. કાર્ડમાં E.KYCની કામગીરી શરૂ કરાઈ હતી. લાઠી તાલુકા હેલ્થ ઓફિસના ટી.એચ.ઓ. ડો. આર.આર. મકવાણાના માર્ગદર્શન મુજબ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નિશીત ચત્રોલાની સૂચના અનુસાર અને પી.એચ.સી. સુપરવાઈઝર ભરતભાઈ સોલંકીની દેખરેખમાં ભુરખીયા ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ રમેશભાઈ એ. બારડના માર્ગદર્શનમાં શુક્રવારે આયુષ્યમાન કાર્ડ માટે E.KYCની કામગીરી શરૂ કરાયેલ હતી. જેમાં એમ.પી.એચ.ડબલ્યુ. જયદેવભાઈ કનાળા, આશાવર્કર ગીતાબેન ટાંક, સોનલબેન મકવાણા દ્વારા ૧૦૦થી વધુ E.KYCની કામગીરી સારી રીતે અને ઝડપી કરવા બદલ સરપંચે અભિનંદન પાઠવ્યા હતા, તેમ તલાટી કમ મંત્રી વી.એસ. બારૈયાએ જણાવેલ હતું. E.KYC માટે બાકી રહેલ ગ્રામજનોએ જયદેવભાઈ કનાળાનો સંપર્ક કરવો.