ચલાલા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા પખવાડિયા’ અંતર્ગત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે “સેવા પરમો ધર્મ”ના પવિત્ર સિદ્ધાંતને અનુસરીને બુધવાર સવારે ૯.૦૦ કલાકે વિવિધ સેવાકીય કાર્યો માટે ચલાલા શહેર ભાજપ દ્વારા એસ.ટી. બસ ડેપોમાં સ્વચ્છતા અભિયાનનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય જે.વી.કાકડીયા, શહેર પ્રમુખ જીતુભાઈ કાથરોટીયા, મહામંત્રી અશોકભાઈ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ ભયલુભાઇ વાળા, ઉપપ્રમુખ પ્રવીણભાઈ, ભરતભાઈ માલવિયા, મનસુખભાઈ ગેડિયા, અનુ.જાતિ મોરચા ઉપપ્રમુખ વાળા વિજયભાઈ દિનમહમદ બ્લોચ, બાલાબાપુ દેવમુરારી, કેતનભાઈ સરવૈયા, કાળુભાઈ લશ્કરી, હિતેશભાઈ રામાણી, કમલેશભાઈ વિઠલાણી, મનસુખભાઈ કાથરોટીયા, મનોજભાઈ બગસરિયા, ચાપરાજભાઈ ધાધલ, જૈમિનભાઈ, મિતભાઈ ભટ્ટ, ચલાલા શહેરના આગેવાનો, મંડળના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.