ભરૂચના ઝઘડિયાના ગોવાલી ગામે બાલાપીર દરગાહ પર બુલડોઝર એક્શન લેવાયું હતું. સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર બાંધકામ હોવાનો આક્ષેપ ઉઠતા કલેક્ટર કચેરીમાં રજુઆત બાદ તંત્ર સક્રિય થયું હતું. આખરે નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં ‘ઓપરેશન ડિમોલિશન’ કામગીરી હાથ ઘરાઈ હતી. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા ગોઠવાઈ હતી. સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી યથાવત રહેશે.
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આવેલ બાલાપીર દરગાહ પર ગત રોજ તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર બાંધકામ થયાનું આક્ષેપ થતાં અને કલેક્ટર કચેરીમાં રજૂઆત બાદ મામલો ગંભીર બન્યો હતો. નોંધનીય છે કે ગોવાલી ગામ ભરૂચ જિલ્લામાં આવેલ છે.
અરજદારોના જણાવ્યા મુજબ, દરગાહના આસપાસ અને સંલગ્ન વિસ્તારમાં સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. મામલે જિલ્લા તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જમીન સરકારી રેકોર્ડ મુજબ ગૌચર હોવાનું સામે આવતા તંત્ર સક્રિય બન્યું હતું.
તંત્ર દ્વારા સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ આજે સવારથી ‘ઓપરેશન ડિમોલિશન’ અમલમાં મુકાયું. જેમાં ગેરકાયદેસર ગણાતા બાંધકામને તોડી પાડવામાં આવ્યું.
કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. સ્થાનિક પોલીસ ઉપરાંત એસઆરપીના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. સંવેદનશીલ મુદ્દો હોવાને કારણે અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા હતા.
જિલ્લા પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી યથાવત રહેશે અને કાયદા મુજબ જ પગલાં લેવામાં આવશે. કોઈપણ પ્રકારની દબાણશાહી કે ભેદભાવ વિના નિયમોનો અમલ કરવામાં આવશે.
ગોવાલી ગામના અરજકર્તા કેતવ દેસાઈએ જણાવ્યું કે, ગામની ગૌચર જમીન બચાવવા માટે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. કાયદેસરની કાર્યવાહી બાદ તંત્રએ યોગ્ય પગલાં લીધા છે.





































